શંકરસિંહે : ભાજપની માનસિકતા ક્ષત્રિય વિરોધી રજવાડાઓ લોકશાહીના પ્રણેતા,ગમે તેમ બોલવું એ અયોગ્ય ..
- 02 Apr, 2024
રૂપાલા વિવાદ પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તેમજ પીઢ નેતા શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવાસસ્થાન વસંત વગડોથી પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું કે પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર રહેશે. જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે . આમ કહીને તેમણે પરશોત્તમ રૂપાલાનું નિશાન સાધીને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
શંકરસિંહે કહ્યું કે દેશમાં લોકશાહી છે માટે આજે ચૂંટણી થઈ રહી છે, પણ આ લોકશાહી દેશના રજવાડાઓને કારણે શક્ય બની છે. દેશના રજવાડાઓ લોકશાહીના પ્રણેતા છે. તેમણે કહ્યુ કે દાઝ્યા પર ડામ ન દેવો જોઇએ.રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. શંકરસિંહ વાઘેલાએ સરકારને આડેહાથ લઇ ને ઉમેર્યું હતું કે આવા રજવાડાઓ માટે ગમે તેમ બોલવું એ ભાજપ માટે યોગ્ય નથી.
શંકરસિંહે કહ્યું કે જનસંઘનું કલચર આવું ન હતું. રૂપાલાનો વિરોધ કરી રહેલી બહેનોને પોલીસ દ્વારા અરેસ્ટ કરવી વગેરે સારી બાબત નથી. બાપુએ એમ પણ કહ્યું જે એમને ભય છે કે જો આ આખો મુદ્દો અવળો પડશે તો ગુજરાત ભડકે બળશે.
ભાજપ પર પ્રહાર કરતા શંકરસિંહે કહ્યું કે ભાજપની માનસિકતા ક્ષત્રિય વિરોધી છે. રૂપાલાના આ નિવેદનથી ક્ષત્રિય સમાજના કાળજા પર ઘા થયો છે. રાજકોટ બેઠક પર રૂપાલાને હટાવે અને બીજા કોઈ પણ ઉમેદવારને મુકવા હોય એને મૂકે. પણ છેલ્લા ઘણા સમયથી ભાજપે ક્ષત્રિય ઉમેદવાર નથી ઉભા રાખ્યાં.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ